Saturday, 15 March 2025

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર

 વડાપ્રધાન રાષ્ટ્રીય બાળ પુરસ્કાર શું છે?

 રાષ્ટ્રીય બાળ પુરસ્કાર કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 1996માં શરૂ કરવામાં આવ્યો હતો. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરનારા બાળકોને સન્માનિત કરવાના હેતુથી રાષ્ટ્રીય બાળ પુરસ્કારની શરૂઆત કરવામાં આવી હતી. 1996થી એવોર્ડ મેળવનાર આ બાળકો કર્તવ્ય પથ પર યોજાતી ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લે છે.

કયા બાળકોને આ એવોર્ડ મળે છે? 

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર માટે બાળકોને પસંદ કરે છે. જે બાળકોની ઉંમર 5 વર્ષથી વધુ અને 18 વર્ષથી ઓછી છે. જેઓ ભારતના નાગરિક છે અને દેશમાં રહે છે. તેમને આ એવોર્ડ આપવામાં આવે છે. વર્ષ 2018માં બહાદુરીના ક્ષેત્રમાં સિદ્ધિઓ હાંસલ કરનાર બાળકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

એવોર્ડ 7 કેટેગરીમાં આપવામાં આવે છે શરૂઆતમાં આ એવોર્ડ 6 કેટેગરીમાં આપવામાં આવે છે. જેમાં કલા અને સંસ્કૃતિ, બહાદુરી, નવીનતા, શિક્ષણ, સમાજ સેવા અને રમતગમતનો સમાવેશ થતો હતો. હવે તેમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો પણ ઉમેરો થયો છે.

જો તમે એવોર્ડ જીતશો તો તમને શું મળશે? 

વડાપ્રધાનના રાષ્ટ્રીય બાળ પુરસ્કારના દરેક વિજેતાને મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ સાથે એવોર્ડ વિજેતાઓને 1 લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર પણ મળે છે.

2023માં 11 બાળકોને એવોર્ડ આપવામાં આવ્યો હતો

2023માં 11 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 11 બાળકોને એવોર્ડ આપવામાં આવ્યો હતો. એવોર્ડ વિજેતાઓમાં બહાદુરી અને સામાજિક કાર્ય કેટેગરીમાં એક બાળક, ઈનોવેશનમાં બે, રમતગમતમાં ત્રણ અને કલા અને સંસ્કૃતિ કેટેગરીમાં ચાર બાળકનો સમાવેશ થાય છે. આ 11 એવોર્ડ વિજેતાઓમાંથી 5 છોકરીઓ અને 6 છોકરાઓ હતા.

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2024  : આ વિજેતાઓને મળશે પુરસ્કાર, જાણો તમામ વિગત

દેશના કુલ 19 વિજેતાઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર પ્રાપ્ત થશે. બાળકોએ વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર કાર્ય કરતા તેમની કામગીરીને બિરદાવતા આ પુરસ્કાર આપવામાં આવે છે.


No comments:

Post a Comment